નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કર્ણાટકના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા વચ્ચે બેઠક બાદ અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. બન્ને નેતા બેઠક બાદ મળ્યા હતા. આ મુલાકાત આશરે 15 મિનિટ સુધી ચાલી હતી. માનવામાં આવે છે કે બેઠકમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને વાત થઇ છે. રાજ્યમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. બેઠકમાં આ વર્ષે 9 રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇને રણનીતિ બની રહી છે.
Advertisement
Advertisement
કર્ણાટકમાં પણ લાગુ થશે ‘ગુજરાત પ્લાન’
ઘણા સમયથી કર્ણાટકમાં પણ સત્તા પર રહેલી ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા ચાલી રહી છે. એવામાં યેદિયુરપ્પા અને પીએમ મોદીની મુલાકાતના કેટલાક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને લઇને પાર્ટીમાં નારાજગીના સમાચાર આવતા રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા બાદ યેદિયુરપ્પાને પાર્ટીના સંસદીય દળમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભાજપને દક્ષિણમાં સ્થાપિત કરનારા યેદિયુરપ્પાનું લિંગાયત સમુદાય પર મજબૂત પકડ માનવામાં આવે છે. હજુ સુધી કર્ણાટકનો આ દિગ્ગજ નેતા લો પ્રોફાઇલ રહી રહ્યો હતો પરંતુ જેવા જ રાજ્યમાં ચૂંટણી નજીક આવે છે યેદિયુરપ્પા ફરી એક્ટિવ થઇ ગયા છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ રાજ્યના ચાર વખતના મુખ્યમંત્રી રહી ચુકેલા યેદિયુરપ્પાના ભવિષ્યને લઇને પણ અટકળો શરૂ થઇ ગઇ છે.
યેદિયુરપ્પા બાદ સીએમ બનાવવામાં આવેલા બોમ્મઇનો કાર્યકાળ ઉથલ-પાથલ ભરેલો રહ્યો છે. વિપક્ષી દળ બોમ્મઇ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા રહ્યા છે અને પે સીએમ (PayCM campaign) અભિયાન શરૂ કરી દીધો છે. જોકે, તમામ આરોપ બાદ પણ ભાજપે કહ્યુ કે રાજ્યના નેતૃત્વમાં કોઇ બદલાવ નહી થાય.
ભાજપના મુખ્ય રણનીતિકાર અમિત શાહે કર્ણાટક પ્રદેશને રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકમાંથી 136 બેઠક જીતવાનું લક્ષ્ય સોપ્યુ છે પરંતુ આ એટલુ આસાન પણ થવાનું નથી. કર્ણાટકમાં ભાજપને કોંગ્રેસની ટક્કર મળશે. આ રાજ્યમાં દેશની સૌથી જૂની પાર્ટી પાસે કાર્યકર્તાઓનો એક મજબૂત આધાર પણ છે.
કર્ણાટકમાં કોંગ્રેસ એચડી કુમારસ્વામી સરકારના પતન બાદ ત્રીજી વખત ભાજપ સત્તામાં આવી હતી. રાજ્યમાં યોજાનાર ચૂંટણી પહેલા પીએમ મોદી અને યેદિયુરપ્પાની મુલાકાતે રાજ્યના નેતાઓને દોડતા કરી દીધા છે. કર્ણાટક ભાજપ પ્રમુખ નલિન કુમાર કટીલે પણ ભાજપ મહાસચિવ અરૂણ સિંહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતની રાજ્યમાં શું અસર પડશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
Advertisement