મોરબી સિવિલ હોસ્પિટલમાં અત્યાર મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યાં છે. અત્યાર સુધી આ પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તો અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે મચ્છુ નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આજે બપોર બાદ પીએમ નરેન્દ્ર મોદી મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે..
Advertisement
Advertisement
ઘટનાના 42 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સર્ચ-ઓપરેશન કરી રહી છે.સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે કારણ કે બપોર બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે..
નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતને લઈને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.. તમને જણાવી દયે કે મોરબી દુર્ઘટનાના બીજો દિવસે 50થી વધુ બાળકો સહિત 134 મૃતદેહ બહાર કઢાયા હતા. નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે…
સમગ્ર ઘટનાને લઈને 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં હજુ પણ 2 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.. જેને શોધવાની કામગીરી હજુ ચાલુ છે… ગતરાત્રિથી બે NDRFની અને બે SDRFની ટીમો આર્મીની છ પ્લાટૂંન, નેવીની 18 બોટ સાથેની ટીમ, SRPF, એરફોર્સ અને ફાયર દ્વારા મચ્છુ નદીમાં રેક્સ્યૂ ઓપરેશન પુરજોશમાં ચાલુ છે.
Advertisement