પાટણ: રાધનપુરના વારાહી હાઇવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા છ લોકોના મોત થયા હતા જ્યારે 10 અન્ય લોકો ઘાયલ થયા હતા. પીપળી પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
Advertisement
Advertisement
જીપનું ટાયર ફાટતા જીપ ટ્રક સાથે અથડાઇ હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો.આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર અર્થે રાધનપુરમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃતકઆંક વધે તેવી શક્યતા છે.
Advertisement