ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે. પોતાના મત વિસ્તારમાં લોક સંપર્ક કરીને પોતાની જીતને સુનિશ્ચિત કરી રહ્યાં છે, જોકે પાછલા 27 વર્ષથી સત્તામાં રહેલી સરકારના ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલનો પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો સાથે બોલાચાલી થઈ હતી. પાંચ વર્ષમાં પૂર્વ ધારાસભ્ય દેખાયા ન હોવાના આક્ષેપ સાથે બોલાચાલી થઈ હતી. સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ ન આવતા હોવાથી જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Advertisement
Advertisement
સ્થાનિક લોકોએ હસમુખ પટેલને તેમના મોઢા ચઢીને કહ્યું હતું કે, 5 વર્ષે દેખાયા છો, અમે થાકી ગયા તમારાથી. જેથી પ્રચાર પડતો મૂકીને કાર્યકર્તાઓ સાથે તેઓ રવાના થઇ ગયા હતાં. ભાજપના વિરોધનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ભાજપના આગેવાનોનો બહિષ્કાર કરીને તગેડી મૂક્યા
ભાજપના ઉમેદવાર કે કાર્યકર્તાઓને પ્રચાર કરવો મુશ્કેલ બની ગયો છે. કેમ કે, તેઓ પોતાના મત વિસ્તારમાં જાય છે તો ત્યાં સ્થાનિક લોકો દ્વારા પોતાના પ્રશ્નો મૂકીને તેમનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભાજપના આગેવાનો પ્રચાર કરવા પહોંચ્યા હતા પરંતુ સ્થાનિકોએ વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા ભાજપના આગેવાનોનો બહિષ્કાર કરીને પાછા તગેડી મૂક્યા હતા.
બળિયાનગર અને શીતલનગરમાં વિરોધ
અમરાઈવાડી વિધાનસભાના બળિયાનગર અને શીતલનગરમાં ભાજપના કાર્યકરો આજે સવારે પ્રચાર કરવા ગયા હતા.પ્રચાર કરવા ગયેલા કાર્યકરોને સ્થાનિકોએ પડતર પ્રશ્નો અંગે પૂછ્યું હતું. જોકે કાર્યકરો કોઈ જવાબ ન આપી શક્યા. સ્થાનિકોનો આક્ષેપ હતો કે અમે જ્યારે સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે અમને સમજાવીને પાછા મોકલવામાં આવે છે તેજ રીતે અમે આજે ભાજપના પ્રચાર કરવા આવેલા કાર્યકરોને સમાજવીને પરત મોકલ્યા હતા.
સ્થાનિકોને પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નહતો
અમરાઈવાડી વિધાનસભામાં 2017ની ચૂંટણી બાદ 2019માં પેટાચૂંટણી થઈ હતી જેમાં બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી આવી હતી. જેથી સ્થાનિકોને પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નહતો. સ્થાનિક ઉમેદવારના હોવાથી લોકો ઉમેદવાર વિધાનસભા વિસ્તારમાં ફરકતા નથી. જેથી આજે સ્થાનિકોએ ભાજપના કાર્યકરોને પરત મોકલ્યા હતા.
અમરાઇવાડી ગણાય છે ભાજપનો ગઢ
અમરાઈવાડી બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 3 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2010માં આ બેઠકની રચના કરવામાં આવી છે. આ પહેલા અમરાઈવાડી 1975થી મણિનગર બેઠકનો ભાગ હતો. એ પહેલા કાંકરિયા બેઠકમાં આ વિસ્તાર આવતો હતો. આ બેઠકને પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2012થી આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રથી હસમુખ પટેલની જીત થઇ હતી. આજે અમરાઈવાડી વિસ્તારમાં ભાજપના વિરોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આમ ભાજપના ઉમેદવારોની ખરાબ કામગીરીના કારણે હવે ભાજપના ગઢમાં જ તેમનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
Advertisement