નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હી વિધાનસભાનું 1 દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સીબીઆઈ દ્વારા સીએમ કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સ બાદ આ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP) દેશ માટે આશાના કિરણ તરીકે ઉભરી છે અને તેથી જ તેને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અહીં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી મામલામાં CBI દ્વારા સમન્સ પાઠવ્યા બાદ ડરથી ધ્રૂજી રહ્યા છે.
Advertisement
Advertisement
ઉલ્લેખનિય છે કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે રવિવારે સમન્સ મોકલ્યું છે. આ અંગે પ્રથમ પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું કે તેઓ રવિવારે એજન્સી સમક્ષ હાજર થશે.
CBI અને EDના અધિકારીઓ સામે કેસ દાખલ કરશે – અરવિંદ કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે જે દિવસે મેં દિલ્હી એસેમ્બલીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી હતી ત્યારે મને ખબર હતી કે આગળનો નંબર મારો જ હશે. તેમણે કહ્યું કે આવતીકાલે તેઓ સીબીઆઈ ઓફિસ જશે. કેજરીવાલને સીબીઆઈ તપાસ ટીમના સવાલોના જવાબ આપવા માટે સવારે 11 વાગ્યે એજન્સી હેડક્વાર્ટરમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે ખોટા પુરાવા રજૂ કરવા માટે સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ સામે કેસ દાખલ કરશે.
બિહારના સીએમ નીતિશ કુમાર કેજરીવાલના સમર્થનમાં
કેજરીવાલને સીબીઆઈ દ્વારા સમન્સ પાઠવ્યાના પ્રશ્ન પર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, “તમે જોઈ જ રહ્યાં છો ને કે આજકાલ શું-શું થઇ રહ્યું છે. જોકે, બધા પોત-પોતાના રાજ્યોમાં વિકાસ માટે સારૂ કામ કરી રહ્યાં છે. તેમની (કેજરીવાલ)ની ત્યાં (દિલ્હી) કેટલી ઇજ્જત છે, લોકો તેમને કેટલું માને છે, તે બધાને જ ખ્યાલ છે. આ અંગે હવે આપણે શું બોલીએ, તેઓ સમય પર જવાબ આપી જ દેશે. પરંતુ તેવું બની શકે છે કે, આવી જ કાર્યવાહી અન્યોના વિરૂદ્ધ પણ થવાની સંભાવના છે. તેથી એક થઇને રહેવું જોઈએ. ”
Advertisement