પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા એક નિવેદન આપતા કહ્યુ કે 2025ની વિધાનસભા ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં લડાશે, તેજસ્વી મહાગઠબંધનને લીડ કરશે. મહત્વપૂર્ણ છે કે નીતિશ કુમારે આ વાત મહાગઠબંધનના ધારાસભ્ય દળની બેઠક દરમિયાન કહી હતી. આ બેઠકમાં મહાગઠબંધનની તમામ સહયોગી પાર્ટી સામેલ થઇ હતી.
Advertisement
Advertisement
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે આ જે આપણા તેજસ્વીજી છે, અમે તેમને આગળ કરીને જેટલુ આગળ કરવાના હતા તે કરી દીધા, બધા લોકો સમજી રહ્યા છે, જોઇ રહ્યા છે અને એક એક કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણા અધિકારી પણ સારી રીતે કામ કરી રહ્યા છે. બધી સુવિધા છે પરંતુ આ વસ્તુો પર જરા ધ્યાન રાખો કે અમારે જેટલી સેવા કરવાની હતી તે કરી નાખી.
ઝઘડો નથી કરવાનો
નીતિશ કુમારે કહ્યુ કે અમારી વાત જરૂર માનજો કારણ કે આ મારા વિચાર નથી, અમે જે કહી રહ્યા છીએ તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાતને ધ્યાનમાં રાખીને જ એક એક કામ કરાવ્યા છે અને આગળ વધાર્યા છે. માટે બધી વાતોનું ધ્યાન રાખવુ છે અને સમાજમાં ઝઘડો નથી કરવાનો.
Advertisement