નવસારી: નવસારીના ચીખલી પાસે આલીપોર બ્રિજ પર અકસ્માત થતા ચાર લોકોના મોત થયા છે જ્યાએ અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement
ઇનોવા અને કન્ટેનર વચ્ચે આલીપોર બ્રિજ પર અકસ્માત થયો હતો જેમાં ઇનોવા કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માતમાં મૃતક તમામ લોકો સુરતના હોવાનું જાણવા મળે છે. તે મુંબઇ એરપોર્ટથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
બનાવની જાણ થતા જ નવસારી ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. ચીખલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement