કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદી પોતે વર્ષ 2023માં 6 વખત કર્ણાટકની મુલાકાત લઈચૂક્યા છે. કર્ણાટકમાં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચિત્રદુર્ગમાં એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
આ ઉપરાંત ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચિત્રદુર્ગ જિલ્લાના મોલકાલમુરુ ખાતે વિજય સંકલ્પ યાત્રા દરમિયાન રોડ શો પણ કર્યો હતો. ત્યાં તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં કહે છે કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. જો તમે (કોંગ્રેસ) ચૂંટણી ન જીતો તો લોકશાહી ખતમ થઈ ગઈ? ‘નાચનારીનું આંગણું વાંકુ’, એવા જ છે રાહુલ ગાંધી, તેઓ અમેરિકા અને યુરોપને કહે છે કે ભારતમાં દખલ કરો અને લોકશાહી બચાવો.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા લંડનમાં તેમની તાજેતરની ટિપ્પણીઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારતમાં જ્યારે રાહુલ ગાંધીને કોઈ પૂછતું નથી ત્યારે તેઓ ઈંગ્લેન્ડ જઈને ભારતના સાર્વભૌમત્વ પર સવાલ ઉઠાવે છે કે ભારતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. તેમને નાગાલેન્ડમાં 0, મેઘાલયમાં 5 અને ત્રિપુરામાં 3 બેઠકો મળી છે. વાસ્તવમાં તો તેમનો પક્ષ ખતરામાં છે, લોકશાહી નહીં.
ચૂંટણી રાજ્ય ચિત્રદુર્ગમાં એક રેલીને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે 70 વર્ષમાં દેશમાં 74 એરપોર્ટ બન્યા અને 9 વર્ષમાં ભાજપા સરકારે દેશમાં 74 એરપોર્ટ બનાવ્યા. આજે કર્ણાટકમાં 11 એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે અને દરેક રેલવે સ્ટેશનને રિડિઝાઇન કરવામાં આવી રહ્યું છે.
Advertisement