રાયપુર: છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો હતો. મલ્લિકાર્જુન ખડગે બાદ સભાને સંબોધતા સોનિયા ગાંધીએ કહ્યું કે મારી યાત્રા ‘ભારત જોડો’ યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે. હું માનું છું કે ભારત જોડો યાત્રા એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેમના સંકેત બાદ માનવામાં આવી રહ્યું છે કે સોનિયા 2024માં રાયબરેલીથી લોકસભા ચૂંટણી પણ નહીં લડે. હાલ સોનિયા ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી સાંસદ છે અને તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
Advertisement
Advertisement
મનમોહન સિંહને યાદ કર્યા
સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું છે. મનમોહન સિંહના નેતૃત્વમાં સારી સરકાર હતી. દેશ અને કોંગ્રેસ માટે પડકારજનક સમય જોવા મળી રહ્યો છે. દલિતો અને મહિલાઓ પર પણ અત્યાચાર થઈ રહ્યો છે. હું માનું છું કે વિશેષ શિસ્ત સાથે કામ કરવાની જરૂર છે. મને સૌથી વધુ ખુશી છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે.
કોંગ્રેસ પર મોટી જવાબદારી
સોનિયા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે કોંગ્રેસ લોકો માટે લડવા તૈયાર છે. કોંગ્રેસ લોકોની સાથે અને લોકો માટે છે. દેશમાં લઘુમતીઓ સાથે ભેદભાવ થાય છે. કોંગ્રેસ તમામને ન્યાય આપશે. હું માનું છું કે અહીં ઉદ્યોગપતિઓને મદદ કરવામાં આવી રહી છે. ભાજપ અને આરએસએસે સરકારની તમામ સંસ્થાઓ કબજે કરી લીધી છે અને તેમની સામે અવાજ ઉઠાવતા વિરોધ પક્ષોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
સોનિયા રાજકીય ઇનિંગ્સના અંતનો સંકેત આપે છે
સોનિયા ગાંધીએ પોતાની રાજકીય ઇનિંગ્સના અંતનો સંકેત આપતા કહ્યું કે તેમની રાજકીય ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થઇ શકે છે. “ડૉ. મનમોહન સિંઘના સક્ષમ નેતૃત્વ તેમજ યુપીએ અધ્યક્ષ તરીકે 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો, પરંતુ મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ. ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે.
Advertisement