હાઈકોર્ટના ડાયરેક્શન હેઠળ ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી છે. દિવાળીમાં ઝૂલતા બ્રિજની જે દુર્ઘટના થઈ હતી. તેમાં ઓરેવા દ્વારા પુલ શરૂ કરી દેવાતા દુર્ઘટના બની હતી અને મોરબી પાલિકાને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
Advertisement
Advertisement
135નો ભોગ લેનાર ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી છે. 52 સભ્યોથી બનેલી મોરબીપાલિકાને સુપરસીડ કરાતા હવે નગરપાલિકાનો સમગ્ર વહીવટ અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળ આપવામાં આવ્યો છે. આ સમગ્ર નિર્ણય રાજ્ય સરકારે હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ લીધો છે.
30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાએ આખા દેશભર હલાવી દીધો હતો. પુલના નવીનીકરણ બાદ થોડા જ દિવસોમાં બનેલી ગોઝારી ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ ગંભીરતાથી લઇ રહ્યા હતા. ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો કરાવામાં આવી હતી. સૂઓમોટો અને પીએલઆઇની મુદ્દે હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી.
મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટે ફેબ્રુઆરીમાં સરકારે મોરબી નગરપાલિકાને નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ માંગ્યો હતો અને એક જ અઠવાડિયામાં જવાબ આપવા જણાવવા કહ્યું હતું.
Advertisement