સૌરાષ્ટ્રના પોરબંદર નજીક મોકરસાગર વેટલેન્ડને 200 કરોડના ખર્ચે વિકસાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ જગ્યા પક્ષીઓનું આશ્રયસ્થાન છે. અહીં એક લાખથી વધુ પક્ષીઓ આવે છે. તેમના માટે વોચ ટાવર, ઈન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ માર્ગોના કામો શરુ કરાશે.
પોરબંદરના આ વેટલેન્ટ વિસ્તારને ઈકો ટુરિઝમ સાથે જોડીને ક્ષાર નિયંત્રણ સાથે ઉચ્ચ કક્ષાનું પ્રવાસન તીર્થ સ્થળ પક્ષી દર્શન માટે વિકસાવવામાં આવનાર છે.
સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા વચ્ચે માધુપુર અને પોરબંદર અગત્યનું સ્થળ છે. અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે પક્ષી દર્શન સાઈટ પ્રવાસીઓ માટે નજરાણું બની રહેશે. આ વર્ષે પોરબંદરના આ વેટલેન્ડ વિસ્તારમાં 1.13 લાખ પક્ષીઓ આવ્યા છે. આ વિસ્તારના વિકાસ બાદ અહીં ગાઈડ તરીકે યુવાનોને તક મળશે. આખા જિલ્લામાં 5.70 લાખ પક્ષીઓ આ વર્ષે નોંધાયા છે.
પોરબંદરના આ વેટલેન્ડ વિસ્તારને ઈકો ટુરિઝમ સાથે જોડીને ક્ષાર નિયંત્રણ સાથે ઉચ્ચ કક્ષાનું તીર્થ સ્થળ અને પક્ષી દર્શન માટે વિકાસ થશે.
Advertisement
Advertisement
Advertisement