નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. પાર્ટી તરફથી આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે. અશોક ગહેલોતના આ રેસમાંથી હટ્યા બાદ ખડગેનું નામ સામે આવ્યુ હતુ. 80 વર્ષીય ખડગેને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે.
Advertisement
Advertisement
ખડગેના આ રેસમાં સામેલ થયા બાદ દિગ્વિજય સિંહે પોતાના પગ પાછળ ખેચી લીધા છે. બીજી તરફ શશિ થરૂરની દાવેદારી પહેલાથી નક્કી છે.
કેએન ત્રિપાઠી પણ ચૂંટણી લડશે.
ઝારખંડ કોંગ્રેસના નેતા કેએન ત્રિપાઠીએ કહ્યુ કે તે પણ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે, તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કહ્યુ કે તે કોઇને પણ ચૂંટણી લડવા માટે ઇનકાર નથી કરી રહ્યા, તો આ જોવા માંગે છે કે પાર્ટીના નેતા કઇ તરફ છે. ત્રિપાઠીએ પોતાના નામની પૃષ્ટી કરી દીધી છે, બીજી તરફ કુમારી શૈલજા અને મુકુલ વાસનિકના નામની પણ અટકળો લગાવવામાં આવી રહી છે.
વિપક્ષના નેતાનું પદ છોડશે ખડગે
મીડિયાના સૂત્રોના હવાલાથી સમાચાર અનુસાર, ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ છોડી દેશે. કોંગ્રેસે ઉદયપુર અધિવેશનમાં એક વ્યક્તિ-એક પદનો સિદ્ધાંત અપનાવ્યો હતો અને જેની હેઠળ ખડગે એક પદ છોડશે.
દિગ્વિજય સિંહે પગ પાછળ ખેચ્યા
ચૂંટણી માટે નોમિનેશન પત્ર લઇ ચુકેલા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ખુદ આ રેસમાંથી દૂર થઇ ગયા છે, તેમણે કહ્યુ કે ખડગે તેમના સીનિયર નેતા છે અને તે તેમના વિરૂદ્ધ ચૂંટણી નથી લડી શકતા. ખડગેના ઇનકાર કરવા પર તેમણે ચૂંટણી લડવાનું મન બનાવ્યુ હતુ પરંતુ હવે જ્યારે ખુદ ખડગે ચૂંટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે તો તે પાછળ હટી રહ્યા છે. દિગ્વિજય, ખડગેના પ્રસ્તાવક બનશે.
કોંગ્રેસને ગેર ગાંધી અધ્યક્ષ મળશે
છેલ્લા બે દાયકામાં આ પ્રથમ વખત હશે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નેતાઓમાં મુકાબલો જોવા મળશે.આ પહેલા અંતિમ વખત 2001માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં સોનિયા ગાંધીએ એક તરફી જીત મેળવી હતી. આ સિવાય લગભગ 25 વર્ષ પછી કોંગ્રેસને ગેર ગાંધી અધ્યક્ષ મળવાનું લગભગ નક્કી છે. આ વચ્ચે માત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ પાર્ટી અધ્યક્ષ રહ્યા છે.
17 ઓક્ટોબરે થશે મતદાન
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી માટે જાહેર નોટિફિકેશન અનુસાર, ઇચ્છુક ઉમેદવાર 30 સપ્ટેમ્બર સુધી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરી શકે છે. 1 ઓક્ટોબરે નોમિનેશન પત્રની તપાસ કરવામાં આવશે અને ઉમેદવાર 8 ઓક્ટોબર સુધી નામ પરત લઇ શકશે. આ રીતે એકથી વધારે ઉમેદવાર હોવા પર 17 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે. તે બાદ 19 ઓક્ટોબરથી મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement