વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેશની વિકટ સમસ્યા વસ્તી વધારો હોવાનું જણાવ્યું હતું, વધુમા જણાવ્યું હતું કે વસ્તી વધારાને કાબૂમાં લેવા માટે દેશમાં તમામ જાતિઓ માટે 2 બાળકોથી એક પણ બડક વધુ નહીં હોવા જોઈએ એવો કડક નિયમ બનાવવા ભાજપ સરકાર પગલાં ભારે એવી માંગ કરી છે.
Advertisement
Advertisement
સાંસદ મનસુખ વસાવાએ રજુઆત કરી હતી કે દેશમાં વસ્તી વિસ્ફોટના કારણે રાષ્ટ્ર સામાજિક-આર્થિક અને પ્રાકૃતિક દૃષ્ટિએ અસંતુલન તરફ વધી રહ્યો છે.વસ્તી વધારાના વિસ્ફોટને કારણે મોંઘવારી, બેરોજગારી જેવી અનેક સમસ્યા વધી રહી છે.દેશની અંદર જોશીમઠ જેવા સનાતન સંસ્કૃતિના પ્રતીક ધાર્મિક સ્થળોના તાનાબાના બગડી રહ્યા છે.ગરીબી, બેરોજગારી પ્રદુષણ ,મિલાવટ અપરાધ જેવી સમસ્યાઓ નિરંતર વધી રહી છે.માત્ર જાગૃતતાના સહારે આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ છે.જો આ અંગે ભારત સરકારે વહેલા પગલાં નહીં લીધા તો ભયાનક પરિસ્થિતિ ઉભી થશે.370 કલમની જેમ તમામ જાતિઓ પર સમાન નિયમ લાવવા ઉગ્ર માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી છે.દેશની અંદર કાનુની પ્રાવધાન કરીને વિચાર કરી જનસંખ્યા નિયંત્રણ માટે વિશેષ પ્રયાસ કરવો પડશે એમ જણાવ્યું હતું.
જોશીમઠ સહિતની કુદરતી આફતો ઉપરાંત, બેરોજગારી, પ્રદુષણ અને વ્યભીચાર પાછળ સરકારી તંત્ર નહીં પણ થઈ રહેલો વસ્તી વધારો જવાબદાર હોવાનું ભરૂચના સાંસદ દ્વારા લોકસભામાં રજૂઆત દરમિયાન રજૂઆત કરવામાં આવી છે.સાંસદના આ નિવેદન તંત્ર જવાબ દેહીઓથી જાણે રીતસર આંખ આડા કાન કરતા હોવાનું સૂચવી રહ્યું છે.સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે દેશ સામાજિક અને આર્થિક તથા પર્યાવરણીય અસંતુલ તરફ આગળ વધી રહ્યો છે, તે વસ્તી વિસ્ફોટના કારણે.હવે આ મુદ્દાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
Advertisement