નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઇ ખાસ ચહેરાને ઉભો કરવામાં આવે છે તો 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને વિપક્ષી તાકાતો પર સ્પષ્ટ લીડ મળશે. ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યુ કે ભાજપને હરાવવા માટે વિપક્ષના દરેક લોકસભા વિસ્તારમાં એકજુટ થવાની જરૂર છે.
Advertisement
Advertisement
આવી સ્થિતિમાં ભાજપને ફાયદો થશે
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ, “વિપક્ષે તમામ 540 સંસદીય વિસ્તાર માટે કડક ટક્કર આપવી જોઇએ. જો કોઇ એકલી પાર્ટી ભાજપ સામે લડશે તો તેને જ ફાયદો મળશે. જો મુકાબલો અરવિંદ કેજરીવાલ વર્સિસ નરેન્દ્ર મોદી અથવા રાહુલ ગાંધી વર્સિસ મોદી થાય છે તો સીધી રીતે ભાજપને ફાયદો થશે.”
ગઠબંધન તૂટી ગયુ
મહત્વપૂર્ણ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષે મોદી સરકારને હટાવવા માટે એક મહાગઠબંધન બનાવ્યું હતું. તે બાદ પણ લોકોએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે સતત બીજી વખત પીએમ બનાવવા માટે બહુમત આપ્યો હતો. ગઠબંધન પોતાના ઉદ્દેશ્યમાં સફળ થયુ નહતુ અને તૂટી ગયુ હતુ.
2024ની તૈયારી
લોકસભા ચૂંટણી પર ફોકસ કરતા આમ આદમી પાર્ટીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે 2024ની લડાઇ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થશે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી અન ભાજપ કેજરીવાલની વધતી લોકપ્રિયતા, દિલ્હીમાં તેમના શાસન મૉડલ અને દેશમાં AAPના વધતા ચૂંટણી પ્રભાવથી હલી ગયા છે. આટલુ જ નહી તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ ભગવા પાર્ટીને પછાડવા માટે પોતાની પાર્ટીનું નામ ટીઆરએસથી બદલીને ભારત રાષ્ટ્ર સમિતી કરી નાખ્યુ છે. તેની પાછળનો અર્થ રાષ્ટ્રીય સ્તર પર રાજનીતિ કરવાનું છે.
મમતા બનશે પીએમ મોદી વિરૂદ્ધ ચહેરો?
શું મમતા બેનરજી વિપક્ષ તરફથી પીએમ ફેસ બની શકે છે? આ સવાલના જવાબમાં ઓવૈસીએ કહ્યુ કે મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે, માટે કોઇ પણ નિશ્ચિત થઇને નથી કહી શકતુ કે તે પીએમ મોદી વિરૂદ્ધ ચહેરો બનશે કે નહી બને.
પીએમ મોદીની પ્રશંસા
મમતા બેનરજીએ પહેલા અપીલ કરી હતી કે તમામ વિપક્ષ શાસિત રાજ્યોએ આગળ આવવુ જોઇએ અને ભાજપ વિરૂદ્ધ 2024માં એકજુટ થઇને લડવુ જોઇએ, તેમણે પોતાના આ પ્રયાસ હેઠળ કેટલાક રાજ્યનો પ્રવાસ પણ કર્યો હતો અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે મમતા બેનરજીએ ભાજપ વિરૂદ્ધ સદનમાં પ્રસ્તાવ પસાર કર્યો હતો પરંતુ છતા પણ પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી.
Advertisement