કોઇ વ્યક્તિ પાસે અભિવ્યક્તિ નથી તો તેનો વિકાસ થવો અઘરો બની જાય છે. સમાજમાં ઘણી જાતિના લાકો રહે છે અને તેઓ પોતાની અભિવ્યકિતથી આગવી નામની મેળવી રહ્યા છે ત્યારે કલા, સાહિત્ય અને શિક્ષણથી સમાજનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તે પહેલ સાથે શહેરના છારાનગર વિસ્તારમાં રહેતા અને બુધન થિયેટરના ફાઉન્ડર આતિષ છારાએ સમાજના લોકો પુસ્કતોનું વાંચન કરે તે માટે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છારાનગરમાં સાત હજારથી વધારે પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરી છે. આતિષ છારા પોતાનો અભિપ્રાય આપતા કહે છે કે, જે સમાજની અભિવ્યક્તિ નથી તે સમાજનો વિકાસ નથી જેને લઇને અમે છારાનગરમાં લાઇબ્રેરીની શરૂઆત કરી છે જેમાં સાત હજારથી વધારે પુસ્તકો છે.
Advertisement
Advertisement
સમાજના મદારી અને નટ લોકોને પણ એક તાંતણે જોડવા અને તેઓ સમાજના સાથે કદમ મિલાવી શકે તે માટે છેલ્લાં બે વર્ષમાં એક સામાજિક સંસ્થાની મદદથી મહિસાગર જિલ્લાના કોઠમ્બા ગામે અને લુણાવાડાના ખાનપુર ગામમાં વસતા નટ સમાજના લોકો માટે ચાર-ચાર હજારના પુસ્તકો સાથેની ‘ઘર લાઇબ્રેરી’ શરૂ કરી છે. આ ઘર લાઇબ્રેરીમાં ગુજરાતી સાહિત્ય, સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા લખેલા પુસ્તકો, શિક્ષણ અને સામાજિક પ્રેરણા આપતા પુસ્તકો મૂકવામાં આવ્યા છે. આગામી સમયમાં ગુજરાતની વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો માટે આ પ્રકારે ઘર લાઇબ્રેરી શરૂ કરવાનું આયોજન છે.
વધુમાં આતિષ છારાએ કહ્યું કે, હું જ્યારે યુ.કે. ગયો હતો ત્યારે મેં જોયું કે ત્યાના ગામોમાંથી લોકો બ્રિટિશ લાઇબ્રેરી સુધી વાંચવા નહતા જતા પરંતુ નાના-મોટા દરેક ગામે એક લાઇબ્રેરી હતી.ખાસ કરીને વિચરતી જાતીના બાળકોનું માનસીક સંવર્ધન થાય અને દેશ-દુનિયાની ખબર પડે તે માટે આ હોમ લાઇબ્રેરી શરૂ કરી છે. બહું મોટું બજેટ ન હોવાને કારણે ઘરમાંજ શરૂ કરી છે. અત્યારે આ ગામના વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીની મુલાકાત લઇ રહ્યા છે. વિદ્યાર્થીઓના માનસિક અને કલાત્મક વિકાસથી સમાજના પ્રશ્નોને વાચા મળશે અને શિક્ષણથી સમાજને એક નવી દિશા મળશે.
Advertisement