અમદાવાદ: અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પાર કરી ગયું છે. પરંતુ ગુજરાતમાં તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Advertisement
Advertisement
અમદાવાદ શહેરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના
ચક્રવાત બિપરજોયની અસરને કારણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, તો અમદાવાદમાં પણ ગઈકાલથી અવારનવાર વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ઝડપ 25 કિમી પ્રતિ કલાકથી વધારે રહેવાની શક્યતા છે. શહેરમાં વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠામાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હજુ પણ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચક્રવાત બિપરજોયની અસર હજુ જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી અને મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
Advertisement