રાજ્યમાં ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિક્ષોભ ના કારણે હવામાનમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી ધીમે-ધીમે દૂર થઈ ગઈ છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહીંવત થઇ જશે. તે ઉપરાંત 24 કલાક પછી રાજ્યમાંથી વાદળછાયું વાતાવરણ પણ દૂર થઈ જશે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગ અનુસાર કમોસમી વરસાદથી તો છુટકારો મળી ગયો છે પરંતુ બંગાળની ખાડીમાં ચક્રવાત ઊભું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક કરવામાં આવશે. માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં તે વિશે જણાવવું વહેલું ગણાશે કારણ કે ડિપ્રેશન કે લો-પ્રેશર થયા પછી જ તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીન લાલે રાજ્યમાં પાંચ દિવસ વરસાદ સહિતની આગાહી કરી હતી જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમની આગાહી અનુસાર, આજે એટલે કે 6-7 મેના દિવસે રાજ્યના 4-5 જિલ્લાઓમાં હળવા વરસાદ થવાની શક્યતા છે તે પછી ગરમીનું જોર વધશે.
હવામાન વિભાગે આગામી 2-3 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 3થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. આગામી સમયમાં રાજ્યના ઘણાં સ્ટેશનો પર તાપમાનનો પારો 40 કે તેને પાર જઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં માવઠું કે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આજના દિવસે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થઇ રહેલી સિસ્ટમ અંગે વાત કરતા વિજીન લાલ જણાવ્યું કે, હજુ તે સિસ્ટમ બની નથી પરંતુ તે સિસ્ટમ સંપૂર્ણપણે 7-8 તારીખની આસપાસ સક્રિય થઇ જશે. હાલ તેની ગુજરાતના હવામાન પર કોઈ અસર થાય તેવી કોઈ જ શક્યતા નથી.
આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની શકે છે, આ પછી 8 તારીખે આ લો-પ્રેશર આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જે પછીના સમયમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા હાલ જોવામાં આવી રહી છે. આ ચક્રવાતને લગતી વિગતો પર હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સતત નજર રાખી રહ્યા છે.
Advertisement