ગુજરાત રાજ્યમાં સતત નવમા દિવસે 41 જેટલાં તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જે છેલ્લા બે દાયકાની પ્રથમ ઘટના હશે. જેમાં સૌથી વધુ કચ્છના નખત્રાણામાં પોણા બે ઈંચ, ઉપલેટામાં દોઢ ઈંચ, કાલાવાડમાં 1.4 ઈંચ વિક્રમજનક વરસાદ પડયો હતો.
Advertisement
Advertisement
જુનાગઢમાં બપોરે બે વાગ્યે ધોધમાર વરસાદ પડતા જનજીવન ઠપ થઈ ગયું હતું. એક સામટો પોણા બે ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
જો કે અમદાવાદમાં આજે આંશિક ગરમીનો અનુભવ થયો હતો અને ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે આકાશ સ્વચ્છ રહ્યું હતું. ગુજરાતમાં આજે નવમા દિવસે પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના માવઠા પડ્યા હતા.
વરસાદમાં ઉનાળું પાકની વાત કરીએ તો મુખ્ય કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. જેમાં જુનાગઢ, માંગરોળ ઉપરાંત ઘેડ પંથકમાં જ્યાં જ્યાં ભારે વરસાદ થયો છે ત્યાં ત્યાં કેરીના પાકને વધુ નુકસાન થવા પામ્યું છે.
આજે સવારથી જ જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ત્યાંના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને જનજીવન પર તેની અસર થવા પામી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ માવઠાનો માર રહેશે. આગામી દિવસોમાં ઘઉંના
Advertisement