અમદાવાદઃ ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે પણ ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. 5મી જૂને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન 7 જૂનની આસપાસ લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 7 થી 11 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
Advertisement
Advertisement
દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 જૂન વચ્ચે ચોમાસુ બેસવાની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 8 થી 11 જૂન સુધી વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે. જ્યારે 22 થી 25 જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી સિઝન શરૂ થવાની સંભાવના છે.
અમદાવાદમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
ગઈકાલે હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન સામાન્ય વરસાદની અપેક્ષા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જારી રહેશે. જ્યારે ઉત્તરની સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ગરમીનો અનુભવ થશે. જ્યારે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Advertisement