અમદાવાદઃ ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને કારણે પ્રવાસીઓની ભીડ પણ વધી ગઈ છે. વર્લ્ડકપના ભારત-પાકિસ્તાનના આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં બે સૌથી કટ્ટર હરીફ ફરી એકવાર સામસામે હશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદના આંગણે આ મેચ રમાઈ રહી હોવાથી લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોમાંચને બમણો કરવા દેશની જાણીતી હસ્તીઓ અમદાવાદ આવી રહી છે. આ હાઈ વોલ્ટેજ મેચમાં તમે સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને રવિ શાસ્ત્રીને પણ સ્ટેડિયમમાં કોમેન્ટ્રેટર અને ખાસ મહેમાન તરીકે જોઈ શકશો.
Advertisement
Advertisement
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા રજનીકાંત અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સહિત અનેક હસ્તીઓ આ મેચ જોવા માટે અમદાવાદના મહેમાન બનવાના છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ જોવા આવી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે અમિત શાહ પણ અમદાવાદ આવવાના છે.
સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે આ મેચ જોવા આવી શકે છે. સચિન તેના પુત્ર અર્જુન તેંડુલકર, પુત્રી સારા અને પત્ની અંજલી સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવશે. સચિન તેંડુલકર આ વર્લ્ડ કપ માટે ICCના બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી સચિન આ હાઈ-વોલ્ટેજ મેચમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.
કઈ કઈ હસ્તીઓ આ મેચ જોવા આવશે
વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ લાઈવ જોવા માટે બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતની અનેક હસ્તીઓ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-પાકિસ્તાન મેચ માટે નીતા અંબાણી, ફિલ્મ અભિનેતા રણવીર સિંહ, ગાયક અરિજીત સિંહ, કૃતિ સેન જેવી હસ્તીઓ અમદાવાદ આવી શકે છે.
Advertisement