રાજકોટઃ ધોરાજીના રસૂલપુરામાં મોહરમ નિમિત્તે તાજીયા ઉઠાવતી વખતે વીજ કરંટ લાગતા દાઝી ગયેલા 15 લોકોને સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ 3 થી 4 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ માહિતી મળતા જ હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
Advertisement
Advertisement
કરંટ લાગવાથી 15 લોકો દાઝી ગયા, ત્રણની હાલત ગંભીર
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીના રસૂલપુરા વિસ્તારમાં મોહરમનો તાજિયા ઉપાડતી વખતે ભીડ વીજ કરંટની ચપેટમાં આવી ગઈ હતી. પીજીવીસીએલની વીજ લાઈન સાથે તાજિયા અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. 15 લોકોને વીજ કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા. તેમાંથી ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
ઝારખંડમાં આવી જ દુર્ઘટનામાં 4ના મોત થયા
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં મોહરમના જુલૂસ દરમિયાન તાજિયા હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાતા કુલ 13 લોકો ખૂબ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી ચારના મોત થયા હતા, જ્યારે નવની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના સવારે લગભગ 6:00 વાગ્યે બોકારોના બેર્મો વિસ્તારના ખેતકોમાં બની હતી. તમામ લોકો મોહરમના તાજિયા લઈને જઈ રહ્યા હતા, તેથી તેઓ ઈલેક્ટ્રીક વાયરની ચપેટમાં આવી ગયા.
ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે તાજિયાને ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11 હજાર વોલ્ટની હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી ફાટી ગઈ હતી. લોકોએ તમામ ઘાયલોને તાત્કાલિક ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની અછત અને નબળી વ્યવસ્થાને કારણે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને બોકારો મોકલી દેવામાં આવ્યા છે.
Advertisement