અમદાવાદ: ગુજરાત સરકારે 2019માં સસ્પેન્ડ કરવામાં આવેલા 2010 બેચના IAS ગૌરવ દહિયાનું સસ્પેન્શન રદ કર્યું છે. તેમને ગાંધીનગરમાં વધારાના વિકાસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હાલ આ જવાબદારી સંભાળી રહેલા IAS એ.બી.રાઠોડને વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હીની મહિલાએ ગૌરવ દહિયા પર બે લગ્ન અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ મામલે સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિ સમક્ષ ગૌરવ દહિયા બે વખત હાજર પણ થયા હતા. તપાસ સમિતિના અહેવાલના આધારે ગુજરાત સરકારે ઓગસ્ટ 2019માં તેમને સસ્પેન્ડ કર્યા હતા.
Advertisement
Advertisement
ગૌરવ દહિયાને ઓગસ્ટ 2019માં સસ્પેન્ડ કરાયા હતા
2019 માં, દિલ્હીની એક મહિલાએ IAS ગૌરવ દહિયા વિરુદ્ધ GAD વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પર ગુજરાતના મુખ્યમંત્રીએ 5 IAS સભ્યોની એક સમિતિની રચના કરી હતી અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સભ્યોએ તપાસ કરતાં મહિલાના આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું. તેથી, 14 ઓગસ્ટ 2019 ના રોજ, ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયા હતા.
દહિયાના વકીલે કહ્યું, આરોપો ખોટા છે
IAS અધિકારી ડૉ. ગૌરવ દહિયાના વકીલ હિતેશ ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક ગંભીર દાવા કર્યા હતા. ગુપ્તાનું કહેવું છે કે અન્ય એક મહિલા IAS અધિકારીએ ડૉ. દહિયાને દોષી ઠેરવવામાં ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુપ્તાએ સંકેત આપ્યો હતો કે તે અધિકારી આરોગ્ય વિભાગમાં હતા અને લીનુ સિંહ સાથે સતત સંપર્કમાં હતા અને પોલીસને બંને વચ્ચે થયેલી વાતચીતના પુરાવા મળ્યા છે.
ગૌરવની પહેલી પત્ની પણ છૂટાછેડા લઈને અલગ થઈ ગઈ હતી. ગૌરવ દહિયા હરિયાણાના ગુડગાંવના રહેવાસી છે. દહિયાના વકીલે વધુમાં કહ્યું કે તમામ આરોપો ખોટા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહિલાના લગ્ન 2015માં જ થયા હતા. તેમને પહેલેથી જ એક દીકરી હતી, જેને તેણે IAS દહિયાની દીકરી કહીને 20 કરોડ રૂપિયાની માગણી કરી હતી. આઈએએસ અધિકારીએ દાવો કર્યો હતો કે તે આની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર છે. પરંતુ પૈસા ન આપતા મહિલા વારંવાર આત્મહત્યા કરવાની ધમકી પણ આપતી હતી.
Advertisement