‘કેદારનાથ જવાની મારી તીવ્ર ઈચ્છા હતી અને આર્થિક રીતે હું એટલો સક્ષમ નહોતો તેથી નક્કી કર્યું કે કોઈ એવો રસ્તો શોધવામાં આવે જેથી ખર્ચો પણ ઓછો થાય અને જઈ પણ શકાય એટલે જ મેં સાયકલ લઈને જવાનું નક્કી કર્યું.‘આ શબ્દો છે ૨૩ વર્ષીય વિષ્ણુ પંચાલના.
Advertisement
Advertisement
કહેવાય છે કે,જો મન મક્કમ હોય તો કોઈપણ કામ અશક્ય નથી.સી.એન.માં ફાઈન આર્ટસનો અભ્યાસ કરતાં વિષ્ણુ તાજેતરમાં જ પોતાની સાયકલ લઈને કેદારનાથની યાત્રા કરીને આવ્યા છે. આ વિશે વિષ્ણુ કહે છે કે,’ મને અમદાવાદથી કેદારનાથ પહોંચતા ૧૬ દિવસ લાગ્યા હતા.સાયકલ લઈ કેદારનાથ જવાનો મારો અનુભવ ખૂબ રોમાંચક હતો.આ સફરમાં મને ખૂબ સારાં અનુભવો થયાં છે. ક્યારેક ઠંડીને કારણે ૪૦-૫૦ કિમી જેટલું અંતર સાયકલ દોરીને લઈ જવી પણ પડતી. આ સિવાય અડધે રસ્તેથી મને હરિયાણાથી સાયકલ લઈને નીકળેલ એક યુવાન પણ મળી ગયો હતો જે મારો ખૂબ સારો મિત્ર બની ગયો છે.
મેં એક દિવસમાં ૧૦૦ કિમીનું અંતર કાપવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. હું જ્યારે રાજસ્થાન પહોંચ્યો ત્યારે એક ઢાબા પર જ્યારે હું જમવા બેઠો હતો ત્યારે મેં ત્યાના માલિકને મારી જર્ની વિશે વાત કરી તો તેમણે મારી પાસે જમવાના પૈસા લીધા નહોતા અને સાથે મને રસ્તામાં ખાવા માટે નાસ્તો પણ આપ્યો હતો.
આવી જ રીતે હરિયાણામાં પણ મારી મદદ કરી હતી. હું બને તેટલો હળવો ખોરાક લેતો હતો. ભરપૂર માત્રામાં પાણી પીતો અને સુગર લેવલ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખતો. દરેક દિવસ ઘણા સંઘર્ષમય હતા પણ કેદારનાથ જવાની મારી અટલ ઇચ્છા હતી જેને લીધે હું સતત આગળ વધ્યો હતો.
Advertisement