હજુ ગો-ફર્સ્ટ એરલાઈન્સનો વિવાદ પૂરો થયો નથી ત્યાં હવે સ્પાઈસ જેટનો મામલો મુસાફરો માટે માથાનો દુખાવો બન્યો છે. સ્પાઈસ જેટે એક મહિના માટે અમદાવાદ-ગોવાને જોડતી ફ્લાઈટને અચાનક બંધ કરી દેવાઈ છે જેનાથી હજારો મુસાફરો રઝળી પડ્યા છે.
આ અંગે સ્પાઈસ જેટએ તાજેતરમાં ડીજીસીએને તેના ત્રણ પ્લેન ડી-સજિસ્ટર્ડ કરવા માટે સૂચના આપી હતી. સ્પાઈસ જેટના અનેક એરક્રાફટ હાલ વિવિધ કારણોસર ગ્રાઉન્ડેડ છે. સ્પાઈસ જેટ પાસે કુલ 67 એરક્રાફ્ટ છે, જેમાંથી 30 હાલમાં ઉપયોગમાં નથી તેવું સામે આવ્યું છે. આ દરમિયાન તેઓએ બુધવારે અમદાવાદ-ગોવાની ફ્લાઈટ અચાનક જ કેન્સલ કરી દીધી, જેને કારણે મુસાફરોને મોટી હાલાકી પડી છે.
અમદાવાદની ટ્રાવેલ એજન્સીઓએ જણાવ્યું કે ફ્લાઈટ બંધ થતા મુસાફરોની સ્થિતિ વધુ કફોડી બની છે અગાઉ લીધેલા હોટેલ, રાઈડ બૂકિંગ કેન્સલ કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરનારાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. આજે અનેક મુસાફરો એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને ફ્લાઈટ કેન્સલ હોવાની જાણ થતા ગુસ્સો ઠાલવ્યો હતો. ઉપરાંત જે મુસાફરો ગોવાથી વેકેશન માણીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા તેમની મુશ્કેલીઓ તો બમણી વધી ગઈ છે.
Advertisement