૧૯૫૭માં ગુજરાત રાજ્યમાં વસતા સિદ્દી આદિવાસી સમાજના લોકોની ગણતરી કરવામાં આવી હતી ત્યારબાદ ફરીથી વસ્તીગણતરી થઇ નથી. સિદ્દી આદિવાસી સમાજના આગેવાનો આદિજાતિ વિભાગના મંત્રીને રજૂઆત કરી હતી. આદિજાતિ વિભાગના મંત્રી કુબેર ડિંડોરને મળેલી રજૂઆતા આધારે આદિજાતિ વિભાગે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આદિાજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ અધ્યક્ષતામાં આ કમિટી કામગીરી સંભાળશે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરશે.૧૯૫૭ની સિદ્દી સમાજની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યના ૬ જિલ્લામાં સિદ્દી સમાજના લોકો વસવાટ કરે છે.
Advertisement
Advertisement
આ ઉપરાંત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનાી કેટલાક જિલ્લામાં વસવાટ કરતા સિદ્દી આદિવાસી સમાજના લોકોની માહિતી રાજ્ય સરકાર પાસે નથી જેથી આ લોકો રાજ્ય સરકારની અનુસૂચિક જન જાતિને લગતી યોજના અને અનામતનો લાભ લઇ શકતા નથી. વંચિત રહી ગયેલા સિદ્દી આદિવાસીઓને પણ સરકારી યોજનાનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે.
સિદ્દી આદિવાસી લોકો રહે છે તે જિલ્લામાં પાંચ શિક્ષિત સિદ્દી યુવા આગેવાનની ટીમ તૈયાર કરવામાં આવશે. આ ટીમ રાજ્ય સરકારના આદિજાતી વિભાગના અધિકારીઓને વસ્તી ગણતરીમાં મદદ કરશે. સિદ્દી સમાજના આગેવાન સલીમ મકવાણાએ કહ્યું કે, રાજ્ય સરકાર પછાત લોકોના વિકાસ માટે બજેટમાં જોગવાઇ કરે છે.
આદિજાતિ લોકોના વિકાસ માટે રાજ્ય સરકાર વસ્તી આધારે બજેટની પણ ફાળવણી કરે છે ત્યારે આર્થિક અને સામાજિક રીતે પછાત સિદ્દી આદિવાસી સમાજના તમામ લોકોને લાભ મળે તે માટે વસ્તી ગણતરીથી બાકાત રહી ગયેલા લોકોના સમાવેશ માટે રાજ્ય સરકારને રજૂઆત કરી છે જે માટે આદિજાતિ વિભાગે હકારાત્મક વલણ સાથેવસ્તી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે જેને આવકારીએ છીએ.
Advertisement