સુપ્રીમ કોર્ટે સોમવારે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. કોર્ટનું કહેવું છે કે લગ્ન પહેલાં ગર્ભવતી થવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. તમને જણાવી દઈએ કે, પીડિતાને ગર્ભવતી થયાને 27 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પીડિતાના મેડિકલ રિપોર્ટની નોંધ લેતા જસ્ટિસ બી.વી. નાગરત્ન અને ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે જણાવ્યું હતું કે પીડિતાને ગર્ભપાત ન કરાવવા દેવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ યોગ્ય ન હતો.
Advertisement
Advertisement
લગ્ન પહેલા સગર્ભાવસ્થા નુક્સાનકારક
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ભારતીય સમાજમાં લગ્ન પછીની ગર્ભાવસ્થા માત્ર દંપતિ માટે જ નહીં પરંતુ પરિવાર અને મિત્રો માટે પણ આનંદ અને ઉજવણીનું કારણ છે. તેનાથી વિપરિત, લગ્ન પહેલાંની સગર્ભાવસ્થા હાનિકારક છે. ખાસ કરીને તે જાતીય સતામણી અથવા દુર્વ્યવહારના કિસ્સામાં અને સગર્ભા સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરતા તણાવ અને આઘાતનું કારણ છે. એક મહિલાની જાતીય સતામણી જ ચિંતાજનક છે અને તેવામાં ગર્ભવતી થવું ચિંતામાં વધારો કરે છે.
ભ્રૂણ જીવિત મળે તો…
બેન્ચે કહ્યું કે મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને અમે પીડિતાને પ્રેગ્નન્સી સમાપ્ત કરવાની મંજૂરી આપીએ છીએ. વધુમાં બેન્ચે ઉમેર્યું હતું કે ગર્ભ જીવંત હોવાનું જાણવા મળે તો હોસ્પિટલ તે ગર્ભને જીવિત રાખવાનું સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડશે. જો તે જીવિત રહે તો બાળકને દત્તક લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય પગલાં લેશે.
આ નિયમ છે
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ, પરિણીત મહિલાઓ, દુષ્કર્મ પીડિતો સહિતની વિશેષ શ્રેણીઓ અને અપંગ અને અન્ય સંવેદનશીલ મહિલાઓ, સગીરાઓ માટે ગર્ભાવસ્થાનો અંત લાવવાની ઉપલી મર્યાદા 24 અઠવાડિયા છે.
હાઈકોર્ટને ઠપકો આપ્યો હતો
અગાઉ, સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ પીડિતાને સંડોવતા કેસમાં આદેશ પસાર કરવા માટે ગુજરાત હાઇકોર્ટને ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કોઈ પણ અદાલત માટે સર્વોચ્ચ અદાલતના નિર્ણય વિરુદ્ધ આદેશ આપવો એ બંધારણની વિરુદ્ધ છે.
આ કેસ છે
તમને જણાવી દઈએ કે, દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી હતી, જેના પર ગુજરાત હાઈકોર્ટે શનિવારે તેને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આજે આ કેસને સુનાવણી માટે તેની યાદીમાં સામેલ કર્યો હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે શનિવારે એક વિશેષ બેઠકમાં, પીડિતાની ગર્ભાવસ્થાનો અંત લાવવાની અરજી પર સુનાવણી કરતા પીડિતાની ફરી તબીબી તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો અને 20 ઓગસ્ટ સુધીમાં હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે શનિવારે એક આદેશ અંગે માહિતી મળ્યા બાદ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં શું થઈ રહ્યું છે? ભારતમાં કોઈપણ અદાલત સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ જઈ શકે નહીં. તે બંધારણની વિરુદ્ધ છે.
ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે શનિવારનો આદેશ માત્ર કારકુની ભૂલ સુધારવા માટે પસાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અગાઉના આદેશમાં કારકુની ભૂલ હતી અને શનિવારે તે સુધારી લેવામાં આવી હતી. આ એક ગેરસમજ હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરીકે અમે ન્યાયાધીશને આદેશ પાછો ખેંચવાની વિનંતી કરીશું.
Advertisement