ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા હવે સામાન્ય લોકોના રસોડામાંથી ગાયબ થઈ ગયા છે. ટામેટાંના વધતા ભાવથી લોકો પરેશાન છે, અને સરકારને તેના પર અંકુશ લાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટામેટા જ એકમાત્ર ખાદ્યપદાર્થ નથી, સમય બદલાશે ત્યારે ભાવ નિયંત્રણમાં આવી જશે. તેમના આ નિવેદનથી લોકોની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.
Advertisement
Advertisement
જાણો ઋષિકેશ પટેલે શું કહ્યું?
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ એક પત્રકાર પરિષદ દરમિયાન ટામેટાંના ભાવ અંગે નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આમ જોઈએ તો ટામેટાં જ એકમાત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ ટામેટાં, બટાકા અને અન્ય શાકભાજી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, પરંતુ તેના ભાવ માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. જેમ જેમ સમય પસાર થશે તેમ ભાવ નિયંત્રણમાં આવશે. જેમ જેમ પુરવઠો વધશે એટલે ટામેટાંના ભાવ આપોઆપ ઘટી જશે.
ઋષિકેશ પટેલના નિવેદનથી લોકો નારાજ
મંત્રી ઋષિકેશ પટેલનું આ નિવેદન સામે આવતા જ મહિલાઓ ગુસ્સે થઈ ગઈ હતી. મીડિયા સાથે વાત કરતાં એક મહિલાએ કહ્યું કે માત્ર ટામેટાં જ નહીં અન્ય શાકભાજી પણ મોંઘા છે, તો મંત્રીએ જવાબ આપવો જોઈએ કે એવું સસ્તું શું છે જે આપણે ખાઈ શકીએ. દરમિયાન, વિરોધ પક્ષો પણ ટામેટાંના ભાવને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે, અને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.
થોડાં દિવસ પહેલા રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું હતું
આના થોડા દિવસો પહેલા ગુજરાત સરકારના અન્ય મંત્રી રાઘવજી પટેલે પણ ટામેટાંના વધતા ભાવ વિશે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે ઘણી વખત ટામેટાં ફેંકી દેવા પડે છે, ઘણી વખત તેના ભાવ વધી જાય છે. ઉત્પાદકને ફાયદો થતો નથી, એગ્રો પ્રોડક્ટનો કોઈ ઉકેલ આવે તો આ સમસ્યાને ઉકેલી શકાય. આનો એકમાત્ર ઉકેલ વેલ્યુ એડીશન છે.
Advertisement