અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. આ વર્ષે ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ચોમાસુ 10 દિવસના વિલંબ સાથે પહોંચ્યું છે. રાજ્યમાં ચોમાસુ સક્રિય થયું હોવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ચોમાસુ પહોંચી ગયું છે. જેના કારણે આજે શહેરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત વલસાડ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. 28 અને 29 જૂને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં આજે હળવાથી મધ્યમ પ્રમાણમાં ગાજવીજ સાથે વરસાદ થવાની અપેક્ષા છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ વર્ષે ચોમાસું મોડું આવ્યું છે, જૂનમાં થોડા દિવસો બાકી છે, તેથી જુલાઇ મહિનામાં વરસાદ કેવો રહેશે તે જોવું રહ્યું.
Advertisement