અમદાવાદઃ ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. હવે માહિતી સામે આવી રહી છે કે પાર્ટીએ બીજા ભાગની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ભાગ-2 આ મહિને 15 ઓગસ્ટ અથવા 2 ઓક્ટોબરથી શરૂ થશે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતથી શરૂ થશે, જેમાં પોરબંદર અથવા અમદાવાદથી શરૂ કરવાના વિકલ્પ પર વિચારણા કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
ગુજરાતથી આ યાત્રા રાજસ્થાન જશે જ્યાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા સહિતના જિલ્લાઓને આવરી લેવાના હોય તો અન્ય રૂટ પર પણ યાત્રાની શક્યતાઓને ચકાસવામાં આવશે અને રાજસ્થાન બાદ આ યાત્રા મધ્યપ્રદેશ જશે. ત્યાં પણ રાજસ્થાનની સાથે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ત્યાર બાદ તેમની યાત્રા છત્તીસગઢમાં પ્રવેશ કરશે અને પછી હરિયાણા જશે. ભારત જોડો યાત્રા ભાગ – 2 લગભગ 3400 થી 3600 કિલોમીટરની હશે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દક્ષિણ ભારતમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી. ભારત જોડો યાત્રા 14 રાજ્યોમાં 136 દિવસની યાત્રા કર્યા બાદ 30 જાન્યુઆરીએ જમ્મુ – કાશ્મીરના શ્રીનગર ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે તેમણે લોકોને સંબોધતા કહ્યું હતું કે મોદીજી, અમિત શાહ જી, આરએસએસના લોકોએ હિંસા જોઈ નથી. તેઓ ડરે છે. ભાજપનો કોઈ નેતા અહીં પગપાળા ચાલી શકશે નહીં. એટલા માટે નહી કે જમ્મુ-કાશ્મીરના લોકો તેને ચાલવા દેશે નહીં, પરંતુ એટલા માટે કે તેઓ ડરે છે. આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું કન્યાકુમારીથી આગળ વધી રહ્યો હતો ત્યારે મને ઠંડી લાગી રહી હતી. મેં કેટલાક બાળકોને જોયા. તેઓ ગરીબ હતા, તેમને પણ ઠંડી લાગતી હતી, તેઓ કામ કરતા હતા અને ધ્રૂજી રહ્યા હતા. મેં વિચાર્યું કે આ બાળકો ઠંડીમાં સ્વેટર-જેકેટ પહેરી શકતા ન હોય તો મારે પણ ન પહેરવું જોઈએ.
Advertisement