અમદાવાદઃ જી-20ની સફળ યજમાની બાદ હવે નેતાઓનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને લોકાર્પણમાં ભાગ લેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને E-Assemblyનું ઉદઘાટન કરવા અને વિધાનસભાને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈ-એસેમ્બલીનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સભ્યોને પણ સંબોધન કરશે. આ સાથે રાષ્ટ્રપતિ રાજભવન ખાતે ‘આયુષ્માન ભવ’ એપ્લિકેશન પણ લોન્ચ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે લગભગ 7 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા રાજભવન જવા રવાના થશે. તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને પછી બીજા દિવસે વિધાનસભા સત્રને સંબોધન કરશે.
13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે એટલે કે આજે ગુજરાત આવશે અને આવતીકાલે 13 સપ્ટેમ્બરે ઈ-એસેમ્બલીનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિધાનસભાના સભ્યોને પણ સંબોધિત કરશે અને રાજભવનથી ઈ-વિધાન એપ્લિકેશન-નેવા લોન્ચ કરશે. વિધાનસભાના અધ્યક્ષ તરફથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને તેમને ગુજરાત આવવા માટે આમંત્રણ અપાયું હતું. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પેપરલેસ રહેશે.
આ અગાઉ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાતે ‘વન નેશન વન એપ્લિકેશન’ દ્વારા ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘણાં રાજ્યોએ પેપરલેસ એસેમ્બલીનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. ઇ-વિધાન એપ્લિકેશન દ્વારા વિધાનસભાના સભ્યોને પણ ઘણી રીતે ફાયદો થશે.
Advertisement