ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સપ્ટેમ્બર મહિના પછી પોલીસ વિભાગમાં વ્યાપક ભરતી અંગેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં પોલીસ વિભાગમાં 8000 જગ્યાઓ ખાલી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ શારીરિક કસોટી અંગેની આયોજનન થઈ શકે છે. જેમાં હથિયારી અને બિનહથિયારી 6324 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને સાથે જેલ વિભાગમાં પણ ભરતી કરાશે.
Advertisement
Advertisement
રાજ્ય પોલીસ વિભાગમાં સવા લાખ પોલીસ કર્મીઓ વિવિધ સ્તરે સેવાઓ આપે છે. જેમાં વ્યાપક લેવલે ભરતીની સતત આવશ્યકતાઓ ઊભી થઈ છે. છેલ્લા લાંબા સમયથી ભરતી થઈ શકી નથી ત્યારે હવે સરકાર નવી 8000 પોલીસ કર્મીઓની ભરતી કરવા માટે તત્પર થઈ છે.
સચિવાલયમાં પણ આ વિશે પ્રશ્નો ઉઠ્યા હતા અને રાજ્ય સરકારે આગામી સમયમાં ભરતી કરવાનું જણાવ્યું હતું. આટલા બધાં કર્મચારીઓ માટે એક કરતાં વધુ સ્તરમાં ભરતી કરવામાં આવશે. જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ ભરતીનો લાભ લઈને પોતાની લાયકાત અનુસાર નોકરી મેળવી શકે. જો કે ઉપરોક્ત કુલ જગ્યામાં મહિલા પોલીસની પણ નક્કી કરેલા પ્રમાણમાં ભરતી કરવામાં આવશે. આમ સમગ્ર પોલીસ વિભાગમાં જ્યાં જ્યાં મહેકમ છે ત્યાંની ઘટને સમતલ કરવા માટે મોટા પાયે રાજ્ય સરકાર ભરતીનું આયોજન કરી રહી છે.
Advertisement