ત્રણ દિવસ પહેલા ગોંડલ સબ જેલમાં બે કેદીઓએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓએ એસિડ પી લીધો હતો. ઘટનાની માહિતી મળતાં જ જેલર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંનેને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે સારવાર દરમિયાન એક કેદીનું મોત થયું છે જ્યારે બીજાની હાલત હજુ પણ નાજુક છે.
Advertisement
Advertisement
ગોંડલમાં પ્રાથમિક સારવાર બાદ બંને કેદીઓને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ત્યાં ધોરાજીમાં દુષ્કર્મ કેસમાં પકડાયેલા આરોપી કમલેશ્વર પ્રસાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે જેતપુરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રિલોકીરામ નામના કેદીની હાલત હજુ નાજુક છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની સબ જેલમાં કેદ બે કેદીઓએ એસિડ પી લીધો હતો. જેલ પ્રશાસનનું કહેવું છે કે કેદીઓએ સફાઈ કામ માટે રાખેલો એસિડ પી લીધો હતો. મૃતક કેદીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. બે કેદીઓ દ્વારા એસિડ પીધા બાદ જેલર સહિતના અધિકારીઓ પર અનેક સવાલો ઉભા થયા છે. તમામ જેલોમાં કેદીઓ સુધી એસિડ કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Advertisement