અમદાવાદ: શહેરમાં ચક્રવાતી તોફાનને કારણે ગઈકાલથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, શહેરના કાળુપુર વિસ્તારમાં એક જર્જરિત ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારત ધરાશાયી થવાને કારણે ત્રણ લોકો તેના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. તેમાંથી એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાતકાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
Advertisement
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કાળુપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ‘નવાવાસ’માં એક જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારત પડી જતાં ત્રણ લોકો તેમાં દબાયા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગે કાટમાળમાંથી એક મહિલા અને એક પુરુષને બહાર કાઢ્યા હતા અને બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કાટમાળમાં દટાયેલા અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું.
ઈમારત ધરાશાયી થઈ હોવાની માહિતી મળતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભીડને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગની નવ ગાડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. કાટમાળ નીચે દટાયેલી મહિલાનું નામ નીલાબેન અને અન્ય પુરુષનું નામ રાહુલભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
Advertisement