ગાંધીનગરઃ ગૃહ મંત્રાલયના આદેશ બાદ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) મોડ્યુલની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. NIAએ ગુજરાત ATS પાસેથી કેસનો કબજો લઈ લીધો છે. નોંધપાત્ર વાત એ છે કે, આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંતના ISKP મોડ્યુલનો પર્દાફાશ કરતી વખતે, ગુજરાત ATSએ પોરબંદરથી 4 લોકોની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
ગુજરાત ATSએ ISKP મોડ્યુલનો પર્દાફાશ કરીને સુરતના ઉબેદ નાસીર મીર, હનાન હયાત શૉલની સાથે સાથે મોહમ્મદ હાજીમ શાહ અને સુમેરા બાનોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓને આતંકવાદી હુમલો કરવાની તાલીમ આપવામાં આવનાર હતી તેવું તપાસમાં સામે આવ્યું છે. સુમેરા બાનુના લગ્ન દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં થયા હતા. ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ બાદ તપાસ NIAને સોંપવામાં આવી છે અને NIAએ ગુજરાત ATSપાસેથી કેસનો કબજો લઈ લીધો છે.
પોરબંદર રેલવે સ્ટેશનથી કરાઈ ધરપકડ
ગુજરાત ATSને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)સાથે સંકળાયેલા કટ્ટરપંથી યુવાનો ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠાના માર્ગે ભારત છોડવાની યોજના બનાવી રહ્યા છે. આ લોકો ઈરાન થઈને અફઘાનિસ્તાન જવાના છે. આ માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે 9 જૂને સવારે પોરબંદર રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખી અને આ લોકોની ધરપકડ કરી લીધી હતી. અટકાયત કરાયેલા લોકોમાં ઉબેદ નાસિર મીર, હનાન હયાત અને મોહમ્મદ હાજીમ શાહનો સમાવેશ થાય છે, તેણે ખુલાસો કર્યો હતો કે તે તેના હેન્ડલર અબુ હમઝાના કહેવાથી કટ્ટરપંથી બન્યો હતો અને ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રાંતમાં જોડાયો હતો.
Advertisement