અમદાવાદ: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના હવામાનમાં એકાદ-બે ડિગ્રીથી વધુ ફેરફાર થવાની કોઇ શક્યતા નથી. તો અમદાવાદીઓ માટે રાહતના સમાચાર તે છે કે, હવામાન વિભાગે શહેરના તાપમાનમાં કોઇ ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ અમદાવાદમાં હિટ એક્શન પ્લાન હેઠળ આજે એલર્ટ રહેશે. તે ઉપરાંત 19 તારીખે ફરી યલો રહેવાની સંભાવના છે.
Advertisement
Advertisement
રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ તાપમાન યથાવત રહેશે એટલે સ્થિર રહેવાની સંભાવના છે. અત્યારે તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી વધુ છે તે વાદળોના કારણે ઘટીને નોર્મલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલથી વાદળોના કારણે રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. વાદળો ઉપરાંત ઠંડા પવનોને કારણે પણ ગરમીથી રાહત અનુભવાય છે. આ મામલે મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પવન ફૂંકાવાના કારણે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો આવ્યો છે. જ્યારે એક-બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.
રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ તરફથી હવા ચાલી રહી છે. જેથી વાદળ બની રહ્યાં છે. જોકે, આ વાદળોને લીધે વરસાદ પડવાની સંભાવના નથી. માત્ર વાદળ બનશે અને તે દૂર થઇ જશે.
રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી તાપમાન, પાટણમાં 39.8 ડિગ્રી, રાજકોટમાં 39.5 ડિગ્રી, ભાવનગરમાં 39.5 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે પડેલા વરસાદના કારણે ભાવનગર માં કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે. 39.5 ડિગ્રી તાપમાન વચ્ચે માવઠું થતાં શહેરીજનોને ભયંકર બફારા અને તાપમાન માંથી થોડા સમય માટે રાહત મળી શકે છે.
Advertisement