અમદાવાદઃ ગુજરાત ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે બેઠકોનો સિલસિલો શરૂ કરી દીધો છે. ભાજપનું બૂથ મેનેજમેન્ટ હંમેશા મજબુત રહ્યું છે, પરંતુ હવે બૂથ મેનેજમેન્ટની સાથે સાથે કાર્યકરોને લોકસંપર્ક પર ભાર મુકવા અપીલ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રામ મંદિરને ચૂંટણીનો મુદ્દો બનાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
Advertisement
Advertisement
કચ્છમાં પાર્ટી કાર્યાલય કમલમનું ઉદઘાટન કરવા પહોંચેલા ગુજરાત ભાજપ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસીઓ કહેતા હતા કે ભાજપ ત્યાં જ મંદિર બનાવશે પણ તારીખ જણાવશે નહીં. હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે રામ લલ્લાના દર્શન કરવા માટે 2024માં અયોધ્યા પહોંચી જાઓ. રામ મંદિરના મુદ્દે ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. આ સાથે મોદી સરકારમાં વિકાસના કયા કયા કામો થયા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ઝોન મહામંત્રી રજની પટેલ, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ દેવજી વરચંદ સહિત 6 વિધાનસભા બેઠકોના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં કચ્છ જિલ્લાના કમલમ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ સમારોહને સંબોધતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કચ્છ એવો જિલ્લો છે જેમાં ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની છ બેઠકો અને તમામ લોકસભા બેઠકો પર વિજય મેળવતી રહી છે. આ કાર્યાલયના નિર્માણ માટે કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા 5.25 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આ ઓફિસ કાર્યકર્તાઓના સહકારથી બનેલી ઓફિસ છે.
Advertisement