વંથલી પંથકમાં થતા “રાવણા” અથવા જાંબુ ફળની આવક માર્કેટ યાર્ડમાં શરુ થઈ ગઈ છે. વંથલી યાર્ડમાં આવતા રાવણા અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં કાજુ-બદામ કરતા પણ વધારે ભાવે વેંચાઈ રહ્યા છે.
આ રાવણાની ખરીદી માટે વેપારીઓ વંથલી યાર્ડમાં આવે છે, દરરોજ 1500થી વધુ કિલો રાવણાની આવક શરુ થઈ ગઈ છે. ચીકુ, રાવણા, સીતાફળ, કેરી સહિતના ફ્રૂટ માટે વંથલીનું યાર્ડ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે.
રાવણા એક એવું ફળ છે, જેને આંબા જેવા બગીચા હોતા નથી. વંથલી અને જૂનાગઢ પંથકમાં ખેડૂતોના ખેતરમાં પાંચ-દસ વૃક્ષથી લઈને 25-30 સુધી વૃક્ષ હોય છે. એક વૃક્ષમાં 20 કિલોથી 100 કિલો રાવણા ઉત્પન્ન થાય છે. જેટલું જૂનું વૃક્ષ હોય તેલું વધુ ઉત્પાદન આવે છે.
શરુઆતમાં યાર્ડમાં રાવણાના એક કિલોના ભાવ રુ.500થી લઈને રુ.800 સુધીના રહ્યા હતા. હવે આવક વધતા રાવણાના એક કિલોના ભાવ રુ.100થી રુ.400 સુધી હોલસેલ ભાવે દિલ્હી અને અમદાવાદના વેપારીઓ ખરીદી કરી રહ્યા છે.
રાવણા ખાવાથી શરીરને થતા વિવિધ ફાયદા
– વિટામિન-સી અને આયર્નથી ભરપૂર રાવણા હિમોગ્લોબિન વધારે છે.
– રાવણા ત્વચાને ખીલ મુક્ત રાખે છે.
– ત્વચા તૈલી હોય તો રાવણાનું સેવન કરવાથી ત્વચાને તાજી અને સાફ રાખી શકાય.
– આ ફળ હાઈબ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવા રોગોને દૂર રાખવામાં ફાયદાકારક છે. તે ધમનીઓને પણ સ્વસ્થ રાખે છે.
– રાવણા પેઢા અને દાંત માટે ફાયદાકારક છે.
– મોઢાના ચાંદાની સારવાર માટે તમારા મોંને કોગળા કરવા માટે છાલ સાથે તૈયાર કરેલા ઉકાળાનો ઉપયોગ કરી શકો છો.
– રાવણામાં મેલેરિયા વિરોધી ગુણો છે.
– રાવણા વધુ પેશાબ લાગવો અને તરસ સહિત ડાયાબિટીસના લક્ષણોને દૂર કરી શકે છે.
Advertisement