ભારતીય ટીમે આ વર્ષે યોજાનારા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભલે પહેલેથી જ શિડ્યૂલને અંતિમ રૂપ આપી દીધું હશે અને ગયા મહિને તેને જાહેર કરી દીધું છે, પરંતુ આ વર્ષે ટુર્નામેન્ટની સૌથી પ્રતિષ્ઠિત મુકાબલામાંથી એકની તારીખમાં ફેરફાર થવાની સંભાવના છે.
Advertisement
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ બદલાય તેવી શક્યતા છે. હકીકતમાં, જે દિવસે બંને ટીમો વચ્ચે આ પ્રતિષ્ઠિત મુકાબલો થવા જઈ રહ્યો છે તે નવરાત્રિનો પહેલો દિવસ છે. ગુજરાતમાં મોડી રાત સુધી ગરબાનું આયોજન થાય છે. એજન્સીઓએ સુરક્ષાની ચિંતાને કારણે મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની એજન્સીઓએ સલાહ આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે મેચ નિર્ધારિત દિવસના એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.
અમદાવાદમાં હોટલો બુક થઈ ગઈ છે
બીસીસીઆઈ પણ સુરક્ષા એજન્સીઓની સલાહ પર પણ વિચારણા કરી રહ્યું છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એજન્સીઓએ બોર્ડને કહ્યું છે કે આવા પ્રસંગોએ ભારત અને પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ મેચ યોજવાનું ટાળવું જોઈએ. આ મેચ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચવાના છે. મેચના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે તો ચાહકોને ભારે મુશ્કેલી પડી શકે છે. તેમણે પહેલેથી જ પ્રવાસનું આયોજન કરી દીધું છે. આ મેચ માટે અમદાવાદની લગભગ તમામ હોટલો બુક થઈ ગઈ છે. ચાહકોએ તો હોસ્પિટલમાં પણ પથારી માટે સંપર્ક કર્યો છે.
બીસીસીઆઈના એક સૂત્રે પીટીઆઈને જણાવ્યું હતું, “15 ઓક્ટોબર નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી, સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે મેચ ફરીથી શિડ્યૂલ કરવી જોઈએ. જરૂર પડ્યે ICCએ BCCI સાથે મળીને તારીખમાં ફેરફાર અંગે નિર્ણય લેવો પડશે.
બીસીસીઆઈએ વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓની સમીક્ષા કરવા માટે શુક્રવારે નવી દિલ્હીમાં એક બેઠક માટે વર્લ્ડ કપ મેચોની યજમાની કરી રહેલા રાજ્ય સંગઠનોને બોલાવ્યા છે. બોર્ડ આ બેઠકમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં સંભવિત ફેરફાર અંગે પણ ચર્ચા કરશે.
Advertisement