અમદાવાદઃ સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ શરૂ થયા બાદ હવે અમદાવાદમાં ફરી હેલિકોપ્ટર જોયરાઈડ શરૂ થશે. સાબરમતી રિવરફ્રન્ટથી જાન્યુઆરી 2022માં જોયરાઈડ શરૂ થઈ હતી, જે લગભગ ચાર મહિના પહેલા બંધ થઈ ગઈ હતી. પરંતુ કંપનીએ હવે તે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકો હવે સ્કાય ટુરની સાથે સાથે અમદાવાદના વિવિધ વિસ્તારોને આકાશમાંથી નિહાળી શકશે. કંપનીએ 12 ઓગસ્ટથી જોયરાઈડ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
એર ચાર્ટર કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અમદાવાદમાં જોયરાઇડ ફરી શરૂ થશે. 10 મિનિટની જોયરાઈડ 12 ઓગસ્ટથી ફરી શરૂ થશે. એક રાઈડમાં કુલ 5 લોકો બેસી શકે છે. તેમાં બેસવા માટે 2,478 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીએ જાન્યુઆરી 2022માં આ સેવા શરૂ કરી ત્યારે ભાડું ઓછું હતું. પરંતુ કંપનીએ તેમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. કંપનીએ જ્યારે સેવા બંધ કરી ત્યારે એડવાન્સ બુકિંગ કરાવનારા લોકોને રિફંડ આપી દેવામાં આવ્યું હતું.
કંપનીના જણાવ્યા અનુસાર, 10-મિનિટની જોયરાઇડ સેવા શનિવાર અને રવિવારે તેમજ કેટલીક જાહેર રજાઓ પર ઉપલબ્ધ રહેશે. એક દિવસમાં કુલ 75 મુસાફરો તેનો આનંદ માણી શકશે. એટીસીની મંજૂરી મુજબ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સાયન્સ સિટીનો રૂટ રાખવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર છેલ્લો કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યાં સુધીમાં અમદાવાદમાં 7,500 લોકોએ જોયરાઈડનો આનંદ માણ્યો હતો.
જોયરાઇડનું બુકિંગ તમામ સમયે 100 ટકા ફૂલ રહેતું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયેલી આ સેવા ચાર મહિના પહેલા બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ રિવર ક્રુઝ સેવા ફરી શરૂ થઈ છે. તમે દર શનિવાર અને રવિવારે તેમજ કેટલીક જાહેર રજાઓના દિવસે અમદાવાદમાં હેલિકોપ્ટર જોયરાઇડનો આનંદ માણી શકશો. આ જોયરાઈડનો અંદાજિત સમયગાળો 10 મિનિટનો છે. આ જોયરાઈડ માટે શેડ્યૂલ અને ઓનલાઈન બુકિંગની માહિતી એરોટ્રાન્સ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Advertisement