આજે 1લી મે ગુજરાત દિવસ. આજના દિવસે 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર થવાનો સમય પાયો.
આજે જામનગરમાં આ દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
આજે કુલ 353 કરોડના વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત થશે. દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેબિનેટમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ગુજરાત ગૌરવદિનની ઉજવણીમાં સહભાગી થશે.
ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦:૧૫ કલાકે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થશે.
રાજ્યપાલ રિલાયન્સ રિફાયનરી/ રિલાયન્સ ગ્રીન્સની મુલાકાત અર્થે રવાના થશે. મુખ્યમંત્રી સવારે ૧૦:૩૦ કલાકે શ્રી સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે રૂ.૩૫૨ કરોડના કુલ ૫૫૩ વિકાસકાર્યો જેમાં ૪૪૨ કામોનું ઇ-લોકાર્પણ, ૧૨૩ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ૮ કામોનું ઇ-ભૂમિપૂજન કરશે. ત્યારબાદ ૧૧:૩૦ કલાકે શ્રી સત્યસાઈ વિદ્યાલય ગ્રાઉન્ડમાં આયોજિત શસ્ત્ર પ્રદર્શન નિહાળશે. સાંજે ૫:૨૫ કલાકે રાજ્યપાલતથા મુખ્યમંત્રી જિલ્લા પંચાયતની સામે આયોજિત પોલીસ પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.
Advertisement