ગુજરાતના રાજકારણમાં કંઈક નવું તોફાન સર્જાઈ શકે છે છેલ્લા કેટલાક સમયથી ફેરફાર આવશે તેવા એંધાણ વચ્ચે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ભાજપાના તમામ MLAની બેઠક, ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના અપાઈ છે.
સચિવાલયમાં ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરાશે તો બીજી તરફ આ તમામ ચર્ચા વચ્ચે છેલ્લા ત્રણેય દિવસથી સચિવાલયનો માહોલ જ બદલાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સચિવ કક્ષાના અધિકારીઓની સતત મિટિંગ યોજાઈ રહી છે.
એક જાણીતી દૈનિકના રિપોર્ટ અનુસાર, તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે ત્રણ દિવસ હાજર રહેવાની સૂચના અપાઈ છે. આ તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજવાનું નકકી કરાયું છે. તમામ ધારાસભ્યોની હાજરી રહેશે તો બીજી તરફ સંગઠન પદાધિકારીઓ પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ તથા અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ દરમિયાન વડાપ્રધાને બે કલાક જેટલો સમય અનામત રાખ્યો છે અને આ દરમિયાન તેઓ રાજકીય ગતિવિધિઓ તેમજ હોદ્દેદારો સાથે વાતચીત કરશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપાના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકાળ આગામી જુન માસમાં પૂરો થઈ રહ્યો છે તો શું તેમનો કાર્યકાળ લંબાશે કે પછી ઉચ્ચ પદ આપી સન્માનિત કરાશે તેવી વાત સંગઠનમાં ચાલી રહી છે.
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન રાખવામાં આવેલા અનામત સમયમાં ગુજરાતના વર્તમાન મંત્રી મંડળના તમામ સભ્યો સાથે એક રુબરુ મુલાકાત બાદ મંત્રીઓની કામગીરી અને સરકારી વિવિધ યોજનાઓ અંગે ચર્ચા થાય તેવી સંભાવનાઓ છે.
Advertisement