ઓડિશાના બાલાસોર જિલ્લામાં ગઈકાલે સાંજે થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઓડિશામાં થયેલી આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. જ્યારે 900 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાં લોકોની હાલત ગંભીર છે જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિજનોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના. આ દુર્ઘટનાને જોતાં કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે યોજાનારા કાર્યક્રમ સહિતના તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.
ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આ દુર્ઘટનાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત મારા…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 3, 2023
બાલાસોર જિલ્લામાં થયેલી આ ભયાનક દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમો ડબ્બામાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરી રહી છે. રેલ્વે, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ પ્રશાસનના 600 જવાનોએ આખી રાત બોગીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. આ અકસ્માત બાલાસોરથી લગભગ 40 કિમી દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો.
Advertisement