ગુજરાતના શિક્ષિત યુવાનોને પોતાના ગામ કે નગરની નજીકમાં જ રોજગારી મળે તે માટે રાજ્યસરકારે 13 જિલ્લામાં નવી જીઆઈડીસી શરુ કરવાનો નિર્ણય લીધો છે અને એ માટે પ્રિફિઝિબિલિટી રિપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Advertisement
Advertisement
રાજ્યમાં જુનાગઢ, મહેસાણા, મહિસાગર, ભરુચ, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ અને જુનાગઢ જિલ્લાના 21 તાલુકાઓમાં જીઆઈડીસી સ્થાપામાં આવનાર છે તે મુજબ રાજકોટના વિંછીયામા, મહેસાણઆના સતલાસણામાં, જોટાણામાં, વડનગર, બનાસકાંઠાના થરાદ, પાલનપુર, ધાનેરા, સિદ્ધપુર, સાંતલપુર, બોડેલી, ગીર સોમનાનાથના નવા બંદર, દહેગામ તાલુકાના કડજોદરા, ખેડાના ઠાસરા, મહુધા, સાવરકુંડલાસ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને જૂનાગઢ સ્થાનિકમાં જીઆઈડીસી શરુ કરવાની મંજૂરી આપી દીધી છે.
રાજ્યમાં નવી જીઆઈડીસી સ્થાપવા માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરી હતી. નવી જીઆઈડીસી માટે જમીનની પ્રાપ્યતા અને કૃષિ ઉત્પાદન વગેરે પરિબળોને વિચારી નિર્ણય લેવામાં આવશે.
જો રાજ્યના તેર જિલ્લામાં જીઆઈડીસી સ્થાપવામાં આવશે તો તેનાથી રોજગારીનો આંક વધશે. સ્થાનિક યુવાનોને કંપનીઓમાં અને ફેક્ટરીઓમાં કામ મળતું થશે. જે તે વિસ્તારમાં રોજગારી અને આવકનું સ્તર ઊંચું આવશે. આ ઉપરાંત જીઆઈડીસીને કારણે જે તે જિલ્લામાંથી સ્થળાંતર પણ ઘટશે.
Advertisement