અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો પછી તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ, ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમાર અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની SIT તપાસ ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ IPS સંજીવ ભટ્ટે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. સેશન્સ કોર્ટ આ અગાઉ તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ડિસ્ચાર્જ અરજીઓ ફગાવી ચૂકી છે.
Advertisement
Advertisement
આરોપીઓ સામે આરોપ ઘડવાની કાર્યવાહી
સંજીવ ભટ્ટ પર સહઆરોપીઓ સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ છે. આ સાથે જ સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝાએ આ મામલો કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી તેવી દલીલ કરીને કેટલાક દસ્તાવેજોની માંગણી કરી હતી. હાલ આ કેસમાં આરોપીઓ સામે આરોપ ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે
ગત સુનાવણીમાં એડવોકેટ મનીષ ઓઝાએ પાલનપુર જેલમાં કેદ સંજીવ ભટ્ટ સાથે ઓનલાઈન વીડિયો કોલ દ્વારા વાત કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. કોર્ટે માત્ર રૂબરૂ મુલાકાતની જ મંજૂરી આપી છે. ભટ્ટની ડિસ્ચાર્જ અરજી પર આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે.
SITએ ચોંકાવનારો દાવો કર્યો
આ અગાઉ, એસઆઈટીએ તેના સોગંદનામામાં દાવો કર્યો હતો કે તિસ્તા સેતલવાડે કથિત રીતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજ્યના અનેક અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા અને તેમના પર કાનૂની કાર્યવાહી કરવા એક રાજકીય પક્ષ પાસેથી નાણાંકીય અને અન્ય ઘણાં લાભ મેળવ્યા હતા. એટલું જ નહીં, એવો દાવો કરવામાં આવ્યો હતો કે તિસ્તાએ પીએમ નરેન્દ્ર મોદીને ફાંસીની સજા અપાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેમાં સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમારે પણ સાથ આપ્યો હતો.
Advertisement