અમદાવાદ: હવામાન વિભાગે ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં છુટોછવાયો વરસાદ પડશે અને તેના ચાર દિવસ બાદ દાહોદ, પંચમહાલમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. અમદાવાદમાં વરસાદ ન આવવાના કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
રાજ્યમાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. લાંબા વિરામ બાદ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં લગભગ ત્રણ-ચાર દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર રહેશે, તેથી ભારે વરસાદ પડશે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે.
દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ
હવામાન વિભાગે આજે ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાતના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવાો વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં હળવો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી અસ્થિરતા સર્જાવાની શરૂઆત થઈ છે અને આગામી દિવસોમાં અનુકૂળ હવામાનને કારણે આ અસ્થિરતા લો પ્રેશરમાં ફેરવાશે અને લો પ્રેશર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.
Advertisement