અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર તૈયારઓ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ સઘન સુરક્ષા અર્થે નવી નવી ટેકનોલોજીના ઉપયોગથી રથયાત્રાને સુખ-સંપન્નથી પૂરી કરવાની જવાબદારી છે.
આ વર્ષે ભગવાનશ્રી જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રામાં પ્રથમ વખત થ્રીડી મેપિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો ઉપયોગ થનાર છે.
આ ટેકનોલોજી મદદથી રથ ક્યાં પહોંચ્યો? કઈ જગ્યાએ શું મુશ્કેલી સર્જાઈ એ તમામ વિગતો જાણવા માટે આ વખતે પોલીસને કોઈ તકલીફોનો સામનો કરવો પડશે નહીં. અમદાવાદની અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માથા પર લાઈવ સ્ટ્રિમિંગ કેમેરા સાથે રથયાત્રા રોડ પર હશે અને તેઓ ફીડ કેપ્ચર કરશે. આ તમામ ફીડ લાઈવ ટેલિકાસ્ટ પોલીસ કંટ્રોલ રુમમાં થશે અને કોઈપણ છેડેથી સોફ્ટવેર મારફતે પોલીસ કયાં શું કામ કરાઈ રહ્યું છે તે જાણી શકાશે.
આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી અજીત રાજયાણે કહ્યું કે, વર્ચ્યુઅલ રિયાલિટીના કારણે પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ મળશે, એટલું જ નહીં થ્રીડી મેપિંગના કારણે ખરેખર જ્યાં જરુર પડશે ત્યાં જ પોલીસ હશે. પ્રથમ વખત થ્રીડી મેપિંગ કરાયું છે અને તેનું વર્ચ્યુઅલ થવાના કારણે રથયાત્રાની સગળી માહિતી અમે ખૂબ જ સચોટ અને સારી રીતે મળી શકશે.
ઉલ્લેખનીય છે કે 30 દિવસના ડ્રોન શૂટિંગની સાથે અનંત યુનિવર્સિટી અને અમદાવાદ સાયબર ક્રાઈમે ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટથી રથયાત્રાના ખૂણે ખૂણાનું થ્રીડી મેપિંગ કરાશે.
Advertisement