ગૌણસેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આજે ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં અગત્યના ડોક્યૂમેન્ટ્સને કેટલું નુકસાન થયું છે એ અંગે કોઈ સત્તાવાર મહિતી મળી નથી.
Advertisement
Advertisement
ઓફિસમાં બ્લોક-2ના પ્રથમ માળે આગ લાગતાં ફર્નિચર બળવા લાગતા કર્મચારીઓ ફટાફટ બહાર આવી ગયા હતા અને તાત્કાલિક ગાંધીનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુર તેમની ટીમ સાથે આવીને આગને કાબૂમાં લઈ લીધઈ હતી. દસ્તૂરે જણાવ્યું હતું કે એ.સીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અવલોકનથી લાગી રહ્યું છે. જો કે આગ લાગતાં રુમના ફર્નિચરમાં કેટલાં રેકોર્ડ બળી ગયા છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
જો કે હમણાં જ રવિવાર તારીખ 7મી મેના રોજ ગૌણ સેવા પસંદગી સમિતિએ બહુ ચર્ચિત તલાટીની પરીક્ષાનું આયોજન કર્યું હતું અને આ પરીક્ષામાં 8 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ હાલના તબક્કે અતિ અગત્યતા ધરાવતી અને વિદ્યાર્થીઓના ભાવિને સંબંધિત રેકોર્ડ રાખતી ગૌણસેવાની ઓફિસમાં આગ લાગતા તમામ વિભાાગો અને પરીક્ષાર્થીઓ માટે આ સમાચાર વધુ મહત્ત્વના બની ગયા છે. ત્યારે ગૌણસેવા પસંદગી સમિતિ મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ આગને કારણે સંસ્થાના સ્ટ્રોંગ રુમને કોઈ નુકસાન થયું નથી. તેમાં રહેલા પેપર અને વિદ્યાર્થીઓની આન્સર શીટ ઇત્યાદી બધું જ સલામત છે. જે રુમમાં આગ લાગી છે ત્યાં ફર્નિચરને નુકસાન થયું છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ આગને કંટ્રોલમાં લેવા બે ટેન્કર પાણીનો મારો કરવામાં આવ્યો હતો જેમાં 14 હજાર લીટર પાણીનો ઉપયોગ થયો હતો.
Advertisement