અમદાવાદઃ દેશભરમાંથી ચોમાસાની સિઝનને વિદાય આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ મેઘરાજાની ગતિ ધીમી પડી રહી છે. દરમિયાન, હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગુજરાતમાંથી ચોમાસુ ક્યારે અને કેવી રીતે વિદાય લેશે તેની માહિતી આપી છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ તેમની યુટ્યુબ ચેનલ પર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
Advertisement
Advertisement
આ સાથે તેમણે કહ્યું કે ભારતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા રાજસ્થાનથી શરૂ થાય છે. 25 સપ્ટેમ્બરે રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે. પરંતુ, આપણે ગુજરાતની વાત કરીએ તો તેનું પ્રસ્થાન રાજ્યના કચ્છ અને બનાસકાંઠા ભાગોમાંથી શરૂ થાય છે.
આ સાથે તેમણે કહ્યું કે, રાજસ્થાનની જેમ ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય કચ્છ કે સાબરકાંઠાના અમુક વિસ્તારોમાંથી 27 કે 28મી તારીખે શરૂ થઈ શકે છે. ચોમાસાની વિદાય શરૂ થશે પરંતુ તેની ગતિ ઘણી ધીમી રહેશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ દક્ષિણ ગુજરાતથી આવે છે અને ત્યાંથી જ ચોમાસુ પણ વિદાય લેશે. ગુજરાતમાં 27-28 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ચોમાસુ વિદાય લેશે.
ચોમાસુ સૌપ્રથમ કચ્છ અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાંથી, પછી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાંથી, ત્યારપછી મધ્ય ગુજરાતમાંથી, પછી મોરબી, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાંથી વિદાય લેશે. આ વર્ષે ચોમાસાની વિદાયની પ્રક્રિયા 10 થી 12 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 101.08 ટકા નોંધાયો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 158.73 ટકા, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 119.68 ટકા, ઉત્તર ગુજરાત વિસ્તારમાં 95.52 ટકા, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 88.31 ટકા, પૂર્વ-મધ્ય વિસ્તારમાં 96.11 ટકા નોંધાયો છે.
Advertisement