ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના તમામ રાજ્યોમાં જ્યાં રાજ્યસભાના સભ્યોની મુદત પૂરી થઈ રહી છે ત્યાં ચૂંટણી માટે નોડલ ઓફિસર, ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવા માટે પત્ર લખ્યો છે. ગુજરાતના ત્રણ રાજ્યસભાના સભ્યોનો છ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેથી જ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજવી પડશે. વિદેશ મંત્રી એસ જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડિયાનો કાર્યકાળ આ વર્ષે ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
દેશના મંત્રી સહિત આ બંને નેતાઓનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. તેથી જ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થવાની સંભાવના છે. ગુજરાતની આ ત્રણેય બેઠકો પર પહેલેથી જ ભાજપનો કબજો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયા આ બેઠકો જીત્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જ મેળવી શકી હતી. જેના કારણે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પડકાર આપી શકશે નહીં. ગત ટર્મ કરતા આ વખતે કોંગ્રેસની તાકાત પણ ઘટી છે. તેથી જ રાજ્યસભાની ચૂંટણી જીતવામાં ભાજપને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. પરંતુ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી ભાજપ કોને ફરીથી મેદાનમાં ઉતારે છે એ જોવાનું રસપ્રદ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. આમાંથી 8 બેઠકો પર ભાજપનો કબજો છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે.
Advertisement