ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવા વધારો થયો છે. SIT ની ટીમે વધુ 5 આરોપીઓ ઝડપીને સઘન પૂછપરછ હાથ ધરી છે. ત પોલીસે અત્યાર સુધી 57 આરોપીઓને ઝડપી લીધા છે. આજે ગોપાલ લાધવા, ઇકબાલ, હનીફ, સોલંકી પ્રવીણ, ગોહીલ ઇન્દ્રજીતસિંહની અટકાયત કરાઇ છે.આજે 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. ડમી કાંડમાં આરોપીઓનો આંક 57 પર પહોંચ્યો છે. ભાવનગરના ચકચારી ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે પકડાયેલા મુખ્ય આરોપીઓની પૂછપરછમાં સામે આવતા અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે. 26મી એપ્રિલે ભાવનગર પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે પકડાયેલા આરોપીઓ સાથે ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં કુલ 57 આરોપીઓની ધરપકડ કરી છે.ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો લીધા હોવાનો ખૂલાસો થયો છે. યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ નકકી થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી બહાર આવી છે.
Advertisement